જૈવિક ખાતરો (બાયો-મિક અને જીનિયસ માઇક્રોબાયોમ સિલેક્શન ટેકનીક)
વિશેષ માહિતી
•મૂળ અને શાખા સંતુલન: પાકના સારા વિકાસ માટે મજબૂત મૂળ અને વધુ ડાળીઓ વિકસાવે છે.
• પોષક તત્વોનું વધુ શોષણ: મૂળ દ્વારા પાણી અને પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ કરવામાં મદદ કરે છે, જેથી પાકની તાણ સહનશીલતામાં સુધારો થાય છે.
• પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો:અલભ્ય ફોસ્ફરસ અને પોટેશિયમને લભ્ય બનાવી છોડને ઉપલબ્ધ કરાવે છે.
• ફોસ્ફરસનું દ્રાવ્યકરણ: અલભ્ય ફોસ્ફરસ ને લભ્ય સ્વરૂપમાં ફેરવે જેથી છોડ દ્વારા ઝડપી શોષાય છે તથા જમીનમાં ફાયદાકારક બેક્ટેરિયા વધારે છે
• સિલિકોનનું શોષણ: સિલિકોન શોષણ કરવામાં મદદ કરે છે જેના કારણે છોડની કોષદીવાલ મજબુત થાય છે અને અજૈવિક તણાવ સામે પ્રતિરોધક શક્તિ વધે છે.
• મૂળની સંખ્યામાં વધારો કરે :જમીનને ફળદ્રુપ કરે છે અને મૂળની આસપાસ ફાયદાકારક બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે.
• રોગ પ્રતિકારક ક્ષમતા:તે પાકને ફૂગજન્ય રોગો સામે લડવાની શક્તિ આપે છે,જેના કારણે છોડના મૂળ સુરક્ષિત રહે છે.
• છોડના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે: છોડની આંતરિક પ્રવૃત્તિઓમાં સુધારો કરે છે જેથી છોડ સ્વસ્થ રહે.
• છોડનો વૃદ્ધિ વિકાસ :- પાકનો જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ કરે છે.
સુસંગતતા
ખેતીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના જંતુનાશક અને ખાતર સાથે સુસંગત
વાપરવાની પદ્ધતિ
પુંખીને
પ્રમાણ
૩ કિલો/એકર
લાગુ પડતા પાકો
બધા પાક માટે યોગ્ય
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની પૂરી વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. - પાઉચ ખોલ્યા પછી તરત જ તેનો ઉપયોગ કરો. ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો.