ઓક્સિએન્ટ એ એક વ્યાપક સ્પેક્ટ્રમ ફૂગનાશક છે જે પીળો ગેરુ, ભુકીછારો, પાછતરો સુકારો, તરછારો, પાનના ટપકા, લાલ સડો વગેરે જેવા રોગોનું નિયંત્રણ કરે છે.
રાસાયણિક તત્વ
એઝોક્સિસ્ટ્રોબિન 18.2% + ડિફેનોકોનાઝોલ 11.4% એસસી
પ્રમાણ
છંટકાવ : 160-200 મિલી/એકર (1 મિલી/લિટર)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર: કરમોડી, પાછતરો કોહવારો, કપાસ: પાનના ટપકા, મકાઈ: સુકારો અને તરછારો, ઘઉં: ગેરુ અને ભુકીછારો, શેરડી: લાલ સડો, સ્મટ અને ગેરુ, ડુંગળી: જાંબલી ધબ્બા નો રોગ અને તરછારો, ટામેટા : આગતરો અને પાછતરો સુકારો, મરચી : કાલવર્ણ અને ભુકીછારો, હળદર: પાનના ટપકા અને ગાંઠ નો સડો
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશક અને ફૂગનાશક સાથે સુસંગત.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કપાસ, શેરડી, ઘઉં, ટામેટા, ડાંગર, ડુંગળી, મકાઈ, મરચી, હળદર
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.