પાન પર છંટકાવ: 1 લિટર પાણીમાં 5 ગ્રામ પ્રમાણમાં મિશ્રણ બનાવીને છોડના તમામ પાન પર છંટકાવ કરો. ફૂલોની આવક અને શરૂઆતના ફળના સમય દરમિયાન આ છંટકાવ પોષક તત્વો ઝડપથી શોષવામાં મદદ કરે છે.
● જમીન દ્વારા ઉપયોગ (ડ્રિપ/ડ્રેંચિંગ): ડ્રિપ સિંચાઇ અથવા ડ્રેંચિંગથી પ્રતિ એકર 15–25 કિગ્રા પ્રમાણમાં આપો. ફોસ્ફરસ અને પોટેશિયમની વધુ જરૂરિયાત વાળા તબક્કા માટે આ ઉપયોગ ખાસ ફાયદાકારક છે.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ દ્વારા અથવા જમીનમાં ઉપયોગ માટે (ડ્રિપ/ટુંવા)
વર્ણન
➔ 00:60:20 એક સંપૂર્ણપણે પાણીમાં દ્રાવ્ય ફોસ્ફરસ અને પોટાશ ખાતર છે, જે ખાસ કરીને ચૂનાયુક્ત જમીન અને ડ્રિપ/સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ માટે તૈયાર કરાયેલું છે.
આ પાકને તરત ફોસ્ફરસ અને પોટાશ પહોંચાડે છે, જેના કારણે પાકની વૃદ્ધિ અને ઉત્પાદન સુધરે છે.
આ પરંપરાગત ફોસ્ફોરિક એસિડ માટે એક સુરક્ષિત વિકલ્પ છે, જેના દ્વારા સિંચાઈ સરળ બને છે અને પાકને પોષણ યોગ્ય રીતે મળે છે.
આમાં રહેલા આમ્લીય ગુણધર્મો પાણીનું pH ઘટાડી આપે છે, જેના કારણે પાઈપ અથવા ડ્રિપ લાઇનમાં થતા કચરાના પડ અને નોઝલ બ્લોકે જ થતું નથી.
લાગુ પડતા પાકો
ભલામણ પાકો : ફળો, શાકભાજી, ફૂલો અને સુશોભનિય પાક માટે યોગ્ય છે, ખાસ કરીને ફૂલ આવવા, ફળ સેટિંગ અને બીજ લાગવાની અવસ્થાએ ઉપયોગ કરવો.
પરિણામકારકતા
એગ્રોસ્ટાર NPK 0-60-20 પાણીમાં ઝડપી દ્રાવ્ય ખાતર છે, જે છોડને જરૂરી ફોસ્ફોરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. ખાસ કરીને ફૂલ આવવાની, ફળ લાગવાની અને બીજ બનવાની જેવી મહત્વપૂર્ણ અવસ્થાઓમાં આ ખાતરનો ઉપયોગ ખાસ ફાયદાકારક છે. આ ખાતરની ઍસિડિક પ્રકૃતિ પોષક તત્વોના અવશોષણમાં વધારો કરે છે, અને ડ્રીપમાં થતા બ્લોકેજનું જોખમ ઘટાડે છે. તેમજ ખાતરની અસરકારકતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. પાણીમાં ઝડપી ઓગળવાની ક્ષમતા (20°C પર 670 ગ્રામ/લીટર) છોડની તાત્કાલિક પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પોષક તત્વો સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. ફૂલ અને ફળની વધારે જરૂરિયાત ધરાવતી અવસ્થાઓમાં આ ખાતર ત્વરિત પરિણામો માટે ઉપયોગી સાબિત થાય છે.
વિશેષ માહિતી
ફૂલ લાવાવમાં , બીજ ઉત્પાદનને વધારવામાં પ્રોત્સાહન આપે છે, તેમજ ઝડપી અને એક સમાન ફળ પકવવામાં મદદરૂપ થાય છે, જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. અને ફળની ગુણવતા જળવાય રહે છે.
➔ ફળોના આકાર, વજન, રંગ અને શેલ્ફ લાઇફ વધારે છે, જેના પરિણામે શ્રેષ્ઠ ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
➔ દુષ્કાળ, ગરમી અને રોગો જેવા અજૈવિક તાણો માટે છોડની સહનશીલતા વધારશે, જેનાથી છોડની તણાવ સહનશક્તિમાં વધારો થાય છે.
➔ તેના એસિડિક ગુણધર્મો ડ્રીપમાં થતા બ્લોકેજનું જોખમ ઘટાડે છે. અને ડ્રિપલાઇન સ્વચ્છ જાળવે છે, જેથી તેની કાર્યક્ષમતા વધે છે.
➔ ફોસ્ફરસની ઉણપને ઝડપથી દૂર કરે છે, છોડનો વિકાસ સુધારે છે અને ઉપજમાં વધારો કરે છે.
➔ સંપૂર્ણ રીતે પાણીમાં દ્રાવ્ય હોવાથી છંટકાવ અને જમીનમાં(ડ્રિપ અથવા ડ્રેંચિંગ) બંનેમાં ઉપયોગ માટે યોગ્ય છે, જે પોષક તત્વોને ઝડપથી શોષણ કરવામાં અને છોડના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે.
➔ જમીનમાં ક્ષાર ઉત્પાદન થવાના જોખમને ઘટાડે છે, ખાસ કરીને સંવેદનશીલ જમીનના પ્રકારોમાં.
ખાસ નોંધ
1 ચોક્કસ ઉપયોગ માટે, જમીન ચકાસણી કરવો અથવા વૈવિધ્યપૂર્ણ ભલામણો માટે કૃષિ વિજ્ઞાન સહાયકની સલાહ લો.
2 ભૌતિક સુસંગતતાની પુષ્ટિ કરવા માટે અન્ય કૃષિ રસાયણો સાથે મિશ્રણ કરતા પહેલા હંમેશા જાર પરીક્ષણ કરો.