ડુંગળીનાં બીજ 8-10 દિવસ માં અંકુરિત થાય છે, પરંતુ જમીન ના પ્રત, વાતાવરણ માં ફેરફાર,જમીન ની તૈયારી અને પાણી વ્યવસ્થાપન વગેરે કારણસર અંકુરણ મોડું થઈ શકે છે.
ધ્યાન માં રાખવાના મુદ્દાઓ !
1. બીજ ને સીધા જ ન રોપતા ધરૂવાડિયા માં રોપ ને તૈયાર કરો.
2. ધરૂવાડિયું સારી રીતે તૈયાર કરો - 2 સે.મી.થી મોટા કાંકરા અને જમીન ના મોટા ટુકડાઓને તોડી ને ભરભરી બનાવો.
3. ગાદી ક્યારા બનાવો અને જરૂરિયાત મુજબ પાણી બાજુ માંથી આપો.
4 બીજ વાવણી વખતે, ધ્યાન રાખો કે બીજ જમીન માં વધુ ઊંડું ન પડે .
5. બીજ વાવ્યા પછી હળવું પિયત આપો.
વિશેષ ટિપ્પણી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.