AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે થશે પાક માંથી નિંદામણ નો સફાયો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
હવે થશે પાક માંથી નિંદામણ નો સફાયો
👉ખેતીમાં નિંદામણ દ્વારા સૌથી વધુ ૩૩ ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયુ છે. નિંદામણ ને કારણે જુદા જુદા પાકોમાં થતો ઉત્પાદનનો ઘટાડો 10 થી 100 % જેટલો થઈ શકે છે. 👉હાલમાં 🥜મગફળી અને 🌱સોયાબીન નો પાક 25 થી 30 દિવસનો થઈ ગયો હશે.હાલના સમયમાં થોડું ભેજવાળું અને વરસાદ ના કારણે મગફળી અને સોયાબીન ના પાકમાં નિંદામણ ના પ્રશ્ન જોવા મળે છે.જો સમયસર નિંદામણ નું નિયંત્રણ કરવામાં ન આવે તો પાક નો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે અને પૂરતા પ્રમાણ માં ખાતર પાક ને મળતા નથી તથા ઉત્પાદનમાં ઘટાડો થાય છે. 👉જો 🥜મગફળી અને 🌱સોયાબીનના પાક માં સાંકડા અને પહોળા પાન વાળા બંને નિંદામણ જેવા કે તાંદળજો,લાંબડી,શેષમુળ, કણજરો, આરોતારો, બંટ,ચોખલીયું, દુધેલી, કોંગ્રેસઘાસ, ભોયઆમલી, પોપટી, સાટોડો, ચોકડીયું, ખાખી વીડ, એકીલિફા,પિલી તળવાની,ચિકવીડ અને ઢીમડો, વગેરે જેવા નિંદામણના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર ની મોડેસ્ટી(ઇમેઝેથાપાયર 35% + ઇમાઝામોક્સ 35% ડબલ્યુજી) 40 ગ્રામ/એકર અથવા હોટસ્યોર (સોડિયમ એસીફ્લુઓર્ફેન 16.5% + ક્લોડિનાફોપ પ્રોપાર્ગિલ 8% ઈસી ) 400 મિલી /એકર દર પ્રમાણે છંટકાવ કરી શકો છો.આ દવા નો છંટકાવ કરવાથી રિઝલ્ટ સારું મળે છે અને નિંદામણ નું નિયંત્રણ પણ થઈ જાય છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
30
0