આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સોયાબીનમાં પણ ભૂખરા ચાંચવા!!!!
કપાસ અને અન્ય પાકોમાં નુકસાન કરતા આ ભૂખરા ચાંચવા સોયાબીન જ્યારે ૧૦-૧૫ દિવસનો હોય તો આર્થિક રીતે નુકસાન કરી શકે છે. આની ઇયળ અવસ્થા જમીનમાં રહી પાકના મૂળને નુકસાન કરે છે જ્યારે તેની પુખ્ત અવસ્થા પાન ઉપર રહી પાનની કિનારી અને ક્યારેક પાન ઉપર અનિયમિત આકારના છિદ્રો પાડીને નુકસાન કરે છે. વધારે ઉપદ્રવ હોય તો મેલાથિયોન ૫૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.