AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી પાકોમાં ફળમાખીની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શાકભાજી પાકોમાં ફળમાખીની સમસ્યા
વેલાવાળા શાકભાજી પાકમાં ફળ માખી ની નુકશાની વધુ જોવા મળે છે.જે ફળની ગગુણવત્તા અને ઉત્પાદન પર અસર કરે છે.તો જાણીએ તેના નુકશાન અને નિયંત્રણ વિશે. ફળમાખીના ઈંડા મુકેલ જગ્યાએ લીલા રંગનો ડંખ જોવા મળે છે. અને એ ડંખ માંથી રસ ઝરે છે જેના ઉપર થી ફળ માખી નો ઉપદ્રવ છે એમ જાણી શકાય છે. ઈંડા મુકવા કરેલા ડંખ ના લીધે ફળ નો આકાર બેડોળ થય જાય છે. આ ડંખ કાણામાંથી રોગ કારકો ને ફળમાં દાખલ થવા ની અનુકૂળતા રહે છે. ઈંડા માંથી નીકળતી ઈયળ ફળ નો ગર્ભ ખાવાનું શરૂ કરે છે.ઉપદ્રવી ફળો વિકૃત થાય જાય છે પીળા પડી જમીન પર ખરી પડે છે. જો તેના નિયંત્રણવિશે વાત કરીએ તો પાકની રોપણીના ૩૫ દિવસે પછી ફળ માખી ની નિરીક્ષણ ૫ ટ્રેપ/ એકર મુજબ લગાવી. જ્યારે આ ટ્રેપ માં ફળ માખી પકડાયેલા જોવા મળે ત્યારે ડેસીસ @ ૭ મિલી / ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. એગ્લોરો@૩૦ મિલી સાથે + ગોળ ૫૦૦ ગ્રામ/૧૫ લીટર પાણીમાં મિક્સ કરી પાક માં મોટા છાંટા(ફોરા) પડે એ રીતે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
1
અન્ય લેખો