AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીજ લાઇન મુદ્દે નવી નીતિ થઈ જાહેર, જાણો ફાયદા !
કૃષિ વાર્તાVTV ગુજરાતી
વીજ લાઇન મુદ્દે નવી નીતિ થઈ જાહેર, જાણો ફાયદા !
🌳સરકારનો ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય 🌳વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર ઉભા કરવાની નવી નીતિ જાહેર 🌳જમીનના મૂલ્યના 7.5 ટકાના બદલે બમણુ 15 ટકા વળતરનું એલાન ⚡ નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો/ જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ રાજ્ય સરકારના ઊર્જામંત્રી દ્વારા કરવામાં આવી છે. ⚡ વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર ઉભા કરવાની નવી નીતિ જાહેર: ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.૩૦/૧૨/૨૦૨૧ના ઠરાવથી કર્યો છે. ⚡ જમીનના મૂલ્યના 7.5 ટકાના બદલે બમણુ 15 ટકા વળતર: રો કોરિડોર (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના ૭.૫% બદલે બમણુ એટલે કે,૧૫% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.૧૨.૦૧.૨૦૨૧ ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે. ⚡ જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10 ટકા વધારો ગણીને ચૂકવાશે: જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના પ્રવર્તમાન, ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ ૧૦% વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. ⚡ આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે. સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
11
અન્ય લેખો