સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મધમાખીને જંતુનાશકોની ઝેરી અસરથી કઈ રીતે બચાવવી !
🐝 જ્યારે નુકશાન કરતી જીવાતો તેની સમ્યામાત્રા વટાવે ત્યારે જ દવાનો છંટકાવ કરવો જોઇએ.
🐝જંતુનાશક દવાઓ બોટલ/ખોખા/ડબ્બા ઉપર છાપેલા લેબલ બરાબર વાંચીને છંટકાવ કરવો. જો તેના પર એવું લખેલ હોય કે આ દવા મધમાખી માટે હાનિકારક છે તો આવી દવાનો છંટકાવ ન કરવો.
🐝મધમાખીને ઓછી ઝેરી હોય તેવી દવાઓનો ઉપયોગ કરવો જોઇએ તથા જરૂરીયાત મુજબજ છંટકાવ કરવો જોઇએ.
🐝ફૂલ જ્યારે ખીલેલા હોય ત્યારે તથા વસંત ઋતુમાં શક્ય હોય તેટલો જંતુનાશકોનો છંટકાવ ઓછો કરવો.
🐝 શક્ય હોય તેટલી ઓછામાં ઓછી જંતુનાશક દવાઓ પાક પર છાંટવી જોઇએ.
દવા છાંટવાની જરૂર પડે તો વહેલી સવારે કે મોડી સાંજે છંટકાવ કરવો.
🐝 પાણી તથા જમીન ઝેરી જંતુનાશક દવાથી અસરગ્રસ્ત ન થાય તેવુ આયોજન કરવું.
🐝આકર્ષિત ફૂલોવાળા પાકોને ઓળખવા તથા તેની સારી રીતે માવજત કરવી.
🐝દવા જ્યારે છાંટવાની હોય ત્યારે આજુબાજુ મધપૂડાની પેટી અથવા તો મધપૂડો ના હોય તે જોવુ.જો મધપેટી હોય તો મધમાખીની અવર-જવર કરવાનું કાણું બંધ કરી પછી જ દવા છાંટવી જેથી મધમાખીને જંતુનાશક્ના છંટકાવથી બચાવી શકાય.
🐝 સંકલિત જીવાત વ્યવસ્થાપનનો અભિગમ અપનાવવો જેથી જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડી શકાય.
🍯 મધપેટીની વસાહતની આસપાસમાં શક્ય હોય ત્યાં સુધી ઓછી ઝેરી કીટનાશી દવાઓનો ઉપયોગ કરવો.
🍯 મધમાખીની પેટીઓ રાખવામાં આવેલ હોય તેની આસપાસનાં ખેતરના માલિકોની સાથે પરામર્શ કરી જ્યારે દવાનો છંટકાવ કરવાના હોય તેના આગલા દિવસે જાણ કરે. જેથી મધમાખીનું આવન-જાવન રોકી શકાય અને તેના કારણે વિપરીત અસર ઘટાડી શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.