ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીના પાન ખાનાર ઈયળનું સચોટ નિયંત્રણ!
🥜આ જીવાતનું પુખ્ત, કીટક આછા ભૂખરા રંગનું હોય છે.
🥜ઈંડાંમાંથી નીકળતી શરૂઆતની ઈયળ ઝાંખા લીલાશ ૫ડતા ભૂખરા રંગની હોય છે.
🥜જે મોટી થતાં કાળા ભૂખરા રંગની થાય છે.
🥜શરીરનાં ઉ૫રની બાજુએ માથાં આગળ તેમજ પાછળનાં ભાગમાં ત્રિકોણાકાર કાળા ટ૫કાંથી આ જીવાતની 🥜ઈયળો તૂરત જ ઓળખી શકાય છે.
🥜આ જીવાતની શરૂઆતની અવસ્થા ની ઈયળો પાનનો લીલો ભાગ અને કૂમળા પાન ખાય છે.
🥜જયારે મોટી ઈયળો નસો સિવાયનો પાનનો ભાગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાખે છે.
ઉપદ્રવ વધુ હોય તો છોડની ફકત નસો જ જોવા મળે છે.
🥜મગફળીમાં સૂયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો ઈયળો સૂયાને અને ડોડવામાં રહેલા દાણાને ખાઈને ૫ણ નુકસાન કરે છે.
🥜આ ઈયળ ના સચોટ નિયંત્રણ માટે એગ્રોસ્ટાર કિલ-એક્ષ (થાયોમીથોક્ઝામ 12.6% + લેમ્બડા સાયહેલોથ્રિન 9.5% ZC) 6 મિલી તથા સ્ટીકર 5 મિલી પ્રતિ પંપ પ્રમાણે બંને દવાનું મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..