AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ (II) મધમાખી ઉછેર દ્વારા પાકનું ઉત્પાદન વધારવું
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ (II) મધમાખી ઉછેર દ્વારા પાકનું ઉત્પાદન વધારવું
મધમાખી પોષણ વ્યવસ્થાપન: • મધમાખી ઉછેર પહેલા તમારા મધવાડામાં પોષણયુક્ત સામગ્રી ગોઠવો. • મધમાખી ફૂલોની પરાગરજ અને ફૂલોના રસમાંથી પોષણ મેળવે છે. તેથી, મધમાખી ઉછેરનારે પ્રથમ મધમાખીઓ પરાગરજ અને પુષ્પરસ કયારે મેળવી શકે તે મહિનો નક્કી કરવો જોઇએ. • કુદરતી રીતે પુષ્પરસ પ્રાપ્ય ન હોય તો, ખાંડના દ્રાવણને કૃત્રિમ આહાર તરીકે આપવું જરૂરી છે. • મધમાખીઓ પરાગરજ અને પુષ્પરસ જરદારું, રાઇ, કોથમરી, વરિયાળી, લીંબુ, લીચી, કેરી, પીનટ, કાકડી, શાકભાજી, નીલગીરી, આમળા, સૂર્યમુખી, લીંમડો, ગુલમહોર , જુવાર, બાજરી,દાડમ વગેરે માંથી મેળવે છે. • મધમાખી ઉછેરનારે લાકડાના મધપુડાને વનસ્પતિ નજીકના પરિસરમાં હોય, તેવી જગ્યાએ મુકવુ જોઇએ જેથી તેઓ સરળતાથી પરાગરજ અને પુષ્પરસ મેળવી શકે. સાવચેતી: મધમાખી ઉછેર કેન્દ્રની ફરતે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. મોટા મીણના ફૂદા , નાના મીણના ફૂદા , ગરોળીઓ, ઉંદરો, કાચિંડાઓ, રીંછ જેવા શિકારીઓને દૂર રાકવાના પગલાં લેવા જોઇએ.
લોનનું વ્યવસ્થાપન:_x005F_x000D_ સરકારે રાષ્ટ્રીય બેંકોમાં આ ઉદ્યોગ માટે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે; આ હેતુ માટે 2 થી 5 લાખ સુધીની લોન મળી શકે છે._x005F_x000D_ _x005F_x000D_ સ્ત્રોત – શ્રી. એસ.કે.ત્યાગી_x005F_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
421
0