AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 તળછારા ના રોગ નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તળછારા ના રોગ નું નિયંત્રણ
🟢તળછારો ના રોગ માટે ભીનું અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. 🟢શરૂઆતના બે ત્રણ પાન ઉપર અર્ધપારદર્શક ભૂખરા રંગના ટપકાં જોવા મળે છે જે ધીમે ધીમે મોટા થાય સુકાઈ જાય છે. 🟢પાછલી અવસ્થામાં પાનની ઉપરની બાજુએ અનિયમિત આકાર ના પીળાશ પડતા ડાઘ પડે છે. અને પાનની 🟢નીચેની બાજુ એ અને પાન ઉપર સફેદ રંગ ની ફૂગનો વિકાસ થાય છે. 🟢આ રોગ માં પાન પર પીળા ધાબા પડતા હોવાને કારણે પ્રકાશસંશ્લેષણ ની પ્રક્રિયામાં ઘટાડો થતા છોડનો વિકાસ અટકી જાય છે. 🟢વધુ ઉપદ્રવ માં પાન સુકાઈ ને ખરતા જોવા મળે છે. 🟢પાન ખરી પડતા હોવાને કારણે છોડ પર લાગેલા ફળો ઉપર સૂર્ય તાપની સીધી અસર થવાને કારણે ફળની ગુણવતા ઘટતી હોય છે. 🟢છોડની વૃદ્ધિ અટકવાથી ફળ ઓછા બેસે છે અને ફળ કદમાં નાનું રહે છે. 🟢આ રોગ ના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં કોપર ઓક્સીક્લોરાઇડ 50% WG ઘટક ધરાવતી કુપર- ૧ દવા ને 45 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. બીજો છંટકાવ 12 થી ૧૫ દિવસ પછી એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી ઘટક ધરાવતી એગ્રોસ્ટાર રોઝતમ 22 મિલી પ્રતિ પંપ પ્રમાણે પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાય. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0