AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલના પાકમાં પાન વાળનારી ઇયળ વિશે જાણો.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલના પાકમાં પાન વાળનારી ઇયળ વિશે જાણો.
તલના પાકમાં જોવા મળતી "માથા બાંધનારી ઈયળ" નાની અવસ્થાએ 2-3 પાન ભેગા કરીને તેના વચ્ચે રહી પાન ખાય છે. આ ઈયળો છોડના વિકાસ માટે ભારે નુકસાનકારક હોય છે. 🔹શરૂવાતી અસર: - જો ઈયળનો ઉપદ્રવ શરૂઆતમાં વધુ હોય તો છોડમાં નવા ફૂટાણા (ડાળીઓ) આવતી નથી, જેના કારણે ઉત્પાદન ઓછું થાય છે. - પાન અને નરમાં કૂમળાં ભાગોમાં નુકસાન થાય છે. 🔹પાછલી અસર: - પાન ખાઈને છોડનો વિકાસ અટકાવે છે. - ફૂલ અવસ્થાએ આવી ઈયળો કળીઓને ખાઈ જાય છે, જેના કારણે ફૂલિંગ અને ફળધારણ પ્રભાવિત થાય છે. - બૈઢા અવસ્થાએ શિંગાઓમાં નુકસાન કરતા પાકની ઊપજ ઘટી જાય છે. 🔹ઉપાય: - ક્લોરપાયરીફોસ 20% EC @ 30 મિલી પ્રતિ પંપ પાણીમાં મેળવી છંટકાવ કરવો. - ફાસ્ટર @ 30 મિલી પ્રતિ પંપ પાણી સાથે મિશ્રણ કરી પાકમાં સારા ફૂલ-ફળ માટે છંટકાવ કરવો. - નુકસાન ટાળવા માટે નિયમિત રીતે પાકનું નિરીક્ષણ કરવું અને પ્રભાવશાળી દવાઓનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"
8
0
અન્ય લેખો