કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ટામેટામાં પાન કોરિયાનો પ્રશ્ન અને તેનું નિયંત્રણ
પાન કોરિયાની માદા માખી પાનની પેશીઓમાં ઇંડા મૂકે છે, જેમાંથી નીકળતી ઈયળ પાનના બે પડ વચ્ચે રહીને સર્પાકાર લીલો ભાગ કોરી ખાય છે. પરિણામે, પાન પર સર્પાકાર લીટા દેખાય છે, છોડનો વિકાસ અટકી જાય છે, અને ઉત્પાદન પર માઠી અસર પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન સૂકાઈ જતાં છોડની વધતી અસર થાય છે.
સચોટ નિયંત્રણ માટે:
👉 નીમ ઓઈલ (10000 PPM) 15 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
👉 પાન અને ડાળીઓને દૂર કરવી.
👉 જીવાતના વધુ પ્રકોપને અટકાવવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કરવો.
સાચી કાળજી અને યોગ્ય નિયંત્રણથી પાન કોરિયાની સમસ્યા ઘટાડીને ઉત્પાદન સુધારી શકાય છે!
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!