કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ટામેટાના પાકમાં પાછોતરો સુકારાનો પશ્ન અને તેનું નિયંત્રણ.
ટામેટાના પાકમાં પાછોતરો સુકાર એક ગંભીર ફૂગજન્ય રોગ છે, જે ફાયટોફથોરા ફૂગથી ફેલાય છે. આ રોગની શરૂઆત પાન પર પાણી પોચા ભૂરા ટપકાંથી થાય છે, જે થોડા સમય પછી આખા પાન પર ફેલાઈને તેને સુકાવી નાખે છે. આ રોગ અનુકૂળ વાતાવરણમાં ઝડપથી ફેલાય છે, જેના કારણે આખો પાક દજાઈ ગયો તેમ લાગતું હોય છે. રોગની તીવ્રતા વધતાં પાકમાં દુર્ગંધ પણ આવી શકે છે અને ફળની ગુણવત્તા તેમજ ઉત્પાદન બંને પર પ્રત્યાર્થ અસર પડે છે.
👉રોગનું નિયંત્રણ:
- પ્રથમ સારવાર: પનાકા એમ 45 (મેંન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ અથવા એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 20 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
- પાકના વિકાસ માટે: છોડના સારા વૃદ્ધિ વિકાસ અને ફૂલ-ફળ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો.
- અન્ય ઉપાયો: પાકમાં સારી હવા ફેરફાર રહે, વધુ ભેજ ટાળવો, અને યોગ્ય પોષક તત્ત્વ આપીને છોડને તંદુરસ્ત રાખવો.
રોગના પ્રાથમિક લક્ષણો જોવા મળતાની સાથે જ યોગ્ય દવાઓનો ઉપયોગ કરવાથી નુકસાન ઓછું કરી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!