એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જે ખેતરમાં આપ કપાસ કરવા જઈ રહ્યાં છો તેમાં કોઇ નિંદામણ ઊભું તો નથીને?
👉 એટલા માટે કે જો ખેતરમાં ગાડર, કાસકી કે કોંગ્રેસ ઘાસ જેવા નિંદામણ ક્યાંક ખેતરમાં કે તેની આજુબાજુ ઉભા હશે તો તેમાં ચોક્કસ કપાસને નુકસાન કરતા મીલીબગ આશ્રય લેતા હશે.
👉 જે પછી થી અનુકૂળ વાતાવરણ મળતા આપના કપાસ ઉપર આક્રમણ કરી શકે છે. તેથી ખેતરમાં કે પછી ખેતરની આજુબાજુ શેઢા-પાળા કે વાડમાં આવા મીલીબગના યજમાન નિંદામણો ઉગેલા હોય તો સત્વરે ઉપાડી નાશ કરવા.
👉 આવા ઉપાડેલ નિંદામણ ફરી પાછા ખેતરના શેઢા ઉપર કે કેનાલમાં ફેંકી દેવા નહિ.
👉 ભેગા કરી જમીનમાં દાટી દો કે પછી તેનો ગળતીયું ખાતર બનાવવામાં ઉપયોગ કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.