સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો! પાક અને જમીન માટે છાણીયા ખાતરના ફાયદાઓ !
છાણીયા ખાતરના નિયમિત ઉપયોગથી માટીના કણોની રચના અને શારીરિક ગુણધર્મોમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. જૈવિક કાર્બનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. સફેદ મૂળની સારી વૃદ્ધિ છોડમાં જીવંત પોષક તત્વોના નિર્માણ અને પરિવહનમાં મદદ કરે છે._x000D_
_x000D_
ફક્ત મૂળ ખતરો નો જ ઉપયોગ કરવો જરૂરી નથી સાથે-સાથે પોષક તત્વોનો પણ યોગ્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. _x000D_
_x000D_
જમીનની ભૌતિક સુધારણા માં મદદરૂપ :_x000D_
• જમીનમાં હવાનું અવરજવર વધારે છે._x000D_
• જમીનમાં ભેજ સંગ્રહશક્તિ ક્ષમતામાં વધારો કરે છે._x000D_
• છોડના મૂળનો વિકાસ ઝડપ થી થાય છે._x000D_
• જમીન નું ધોવાણ ઓછું થાય છે._x000D_
• ભારે ચીકણી જમીન અને હલકી રેતાળ જમીનની સંરચના માં સુધારો થયો છે._x000D_
_x000D_
રાસાયણિક ગુણધર્મોની અસર: -_x000D_
• છોડમાં પોષક તત્ત્વોની માત્રા વધારે_x000D_
• જમીનમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધે છે._x000D_
• જમીનમાં ક્ષાર નું પ્રમાણ ઘટાડે છે._x000D_
• જમીનમાં રહેલ લભ્ય તત્વો ને પાક સુધી પહોચાડવામાં મદદરૂપ_x000D_
• કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને છોડના સુક્ષ્મ પોષકતત્ત્વોની ઉપલબ્ધતામાં વધારો થાય _x000D_
_x000D_
_x000D_
જમીનના જૈવિક ગુણધર્મો પર અસર:_x000D_
• જમીનમાં ફાયદાકારક બેક્ટેરિયા / જીવાણું ની સંખ્યા માં વધારો કરેછે._x000D_
• વાતાવરણીય નાઇટ્રોજન નું સ્થિતિકરણ વધારે છે._x000D_
• બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન ફિક્સેશન વધારે છે._x000D_
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.