AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો અને ઓળખો: તુવેરની શીંગોને નુકસાન કરતી ઇયળો અને કરો નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો અને ઓળખો: તુવેરની શીંગોને નુકસાન કરતી ઇયળો અને કરો નિયંત્રણ
 મોટાભાગની ખેડૂતોનો તુવેરનો પાક ફૂલ કે શીગો બેસવાની અવસ્થાએ હશે.  આ અવસ્થાએ ચાર પ્રકારની ઇયળો શીંગોને નુકસાન કરતી હોય છે.  લીલી ઇયળ સર્વે ખેડૂતભાઇઓ ઓળખતા જ હોય છે, આ ઇયળ શીંગમાં કાણૂં પાડી વિકસતા બીને કોરી ખાય છે. ક્યારેક ફૂલોને પણ નુકસાન કરતી હોય છે.  શીંગ માખીની ઇયળ શીંગમાં દાખલ થઇ દાણામાં બોગદુ બનાવી નુકસાન કરે છે.  પીંછીયા ફૂંદાની ઇયળ શરુઆતમાં શીંગ ઉપર અને પછી અંદર દાણાને કોરે છે.  ટપકાંવાળી ઇયળ ફૂલ-શીંગોને જોડી ગુચ્છા બનાવી દાણાને ખાઇ જાય છે.  મોડી પાકતી જાતોમાં નુકસાન વધારે જોવા મળે.  ગુચ્છા વાળી જાતોમાં ઇયળોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.  ફૂલ અવસ્થાએ લીલી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ મૂંકવા.  એકાદ લાઇટ ટ્રેપ ખેતરમાં ગોઠવવું.  ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓ છાંટવી.  લીલી ઇયળનું એનપીવી ઉપલબ્ધ થાય તો તેનો ઉપયોગ કરવો.  બીટી પાવડર (જીવાણૂંયુક્ત) ૧૫ ગ્રામ અથવા બ્યુવેરિયા બેઝીઆના (ફૂગ આધારિત દવા) ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પ્રમાણે છંટકાવ કરી બાયોપેસ્ટીસાઇડનો લાભ લેવો.  ઇયળોનો ઉપદ્રવ વધતો જણાય તો એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગો કોરીખાનાર ઇયળો સામે રક્ષણ મેળવી શકાય.  દરેક છંટકાવ વખતે દવા બદલવી.  શાકભાજીની તુવેરમાં ક્યારેય મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ કરવો નહિ.
39
16