સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉં માં નિંદામણ નિયંત્રણ અને કેવી રીતે નીંદણ અટકાવ કરવો !
ઘઉં માં નિંદામણ નિયંત્રણ અને કેવી રીતે નીંદણ અટકાવ કરવો !
નિંદામણ નાશક નું નામ નિંદામણનાશક નું પ્રમાણ (ગ્રામ સક્રિય તત્વ/ હે.) બજારૂ નિંદામણનાશક નું પ્રમાણ ( ગ્રામ/ હે.) વાવણી બાદ છંટકાવ કરવાનો સમય
ક્લોડીનાફોપ પ્રોપારજીલ ( ૧૫% ) + મેટસક્યુરોન મિથાઈલ ( ૧% ) WP ( વેસ્ટા ) 60+4 400 25-30 દિવસે
ફેલાવો અટકાવવા માટેના પગલાં :
👉 સંપૂર્ણ કહોવાયેલ છાણિયું ખાતર વાપરવું
👉 ગુલ્લીદંડા તેમજ અન્ય નીંદણના બીજમુક્ત બિયારણની પસંદગી કરવી
👉 બીજની વાવણી પહેલા બિયારણ ચાળી નીંદણના બીજ બાળીને નાશ કરવો
👉 ગુલ્લીદંડા નીંદણ ધરાવતા ખેતરનો ઘઉંનો બિયારણ તરીકે ઉપયોગ કરવો નહીં
👉 ખેતરમાં ગુલ્લીદંડા જેવું નીંદણ આવી જ ગયું હોય તો બે - ત્રણ વર્ષ પાકની ફેરબદલી કરવી
👉 શેઢા પાળા ઉપર ઉગેલ નીંદણના છોડને ફૂલ આવતાં પહેલા નાશ કરવો
નીંદણનાશકના છંટકાવ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
👉 નીંદણનાશકનો છંટકાવ કરતાં પહેલાં પ્રેયર પંપ સ્વચ્છ પાણીથી બરાબર સાફ કરવો
👉 નીંદણનાશકનું પ્રમાણ ભલામણ મુજબનું રાખવું જેથી નદણનું નિયંત્રણ સારી રીતે થઈ શકે
👉 નીંદણનાશક જે સમયે છાંટવાની ભલામણ હોય તે જ સમયે છાંટવી.
👉 પ્રિ-ઇમરજન્સ નીંદણનાશક નીંદણ ઉગતા પહેલા, જ્યારે પોસ્ટ-ઇમરજન્સ નીંદણનાશક નીંદણ ઉગ્યા બાદ છાંટવી
👉 નીંદણનાશક છાંટતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે
👉 નીંદણનાશક છાંટ્યા બાદ ૨૦-૨૫ દિવસ સુધી આંતરખેડ કરવી નહીં
👉 નીંદણનાશકનો છંટકાવ પાછા પગલે ચાલીને કરવો જોઇએ
👉 નીંદણનાશકના છંટકાવ માટે ખાસ પ્રકારની ફ્લેટફેન અથવા ફ્લડજેટ નોઝલનો ઉપયોગ કરવો
👉 વધુ પવન હોય, કે ઝાકળ હોય ત્યારે નીંદણનાશક છાંટવી નહીં.
👉 કોઇપણ પાકમાં પિયતના પાણી સાથે નીંદણનાશક આપવી નહીં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.