AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ખુશીના સમાચાર, ઇફકોએ કર્યા ખાતરના ભાવમાં ઘટાડો
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતો માટે ખુશીના સમાચાર, ઇફકોએ કર્યા ખાતરના ભાવમાં ઘટાડો
👉ભારતની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની IFFCO અથવા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ ખેડૂતોને મોટી રાહત આપતા તેના ઘણા ખાતરોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના ઉત્પાદનોની કિંમતમાં 14 ટકા સુધીનો ઘટાડો કરવા જઈ રહી છે. હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આ બાબતે માહિતી આપતાં કંપનીના અધિકારીએ જણાવ્યું કે વિશ્વભરમાં ખાદ્યપદાર્થોની અછત અને ખેતી માટે ખાતરોની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 👉IFFCO અધિકારીનું કહેવું છે કે આ નિર્ણયથી ગરીબ ખેડૂતોને મહત્તમ ફાયદો થશે. તેનાથી તેમની ખેતીનો ખર્ચ ઘટશે. ખાતર બનાવવા માટે હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી ખાતરની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનો ફાયદો હવે ખેડૂતોને થશે. આના કારણે દેશમાં કૃષિનું ઉત્પાદન વધશે અને સમગ્ર વિશ્વમાં અનાજ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. NPKS, એક મહત્વપૂર્ણ ખાતરની કિંમત 200 રૂપિયાથી ઘટીને 1200 રૂપિયા પ્રતિ થેલી પર આવી ગઈ છે. આ સાથે ખેડૂતોને ખરીફ સિઝનના વાવેતર ખર્ચમાં ઘટાડાનો લાભ મળશે. 👉બજેટ 2023માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ખાતર પરની સબસિડીમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વખતે સરકારે ખાતર સબસિડી માટે કુલ રૂ. 1.75 લાખ કરોડની જોગવાઈ કરી છે, જે વર્તમાન નાણાકીય વર્ષ કરતાં 22 ટકા ઓછી છે. સરકારે ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પર સબસિડી વધારવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહ્યું છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
15
2
અન્ય લેખો