AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખુશ ખબર! સોલાર પંપ માટે સરકાર આપી રહી છે સબસીડી
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ખુશ ખબર! સોલાર પંપ માટે સરકાર આપી રહી છે સબસીડી
👉ખેડૂતોને સોલાર પંપ લગાવવા સબસિડી :- કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કુસુમ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસીડી આપી રહી છે. જેથી ખેડૂત સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં ખેડૂત પાકની પિયત કરી શકે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ સરકાર ખેડૂતને જમીન પર સોલાર પેનલ લગાવવા માટે આર્થિક મદદ આપી રહી છે. તમે સરકારની પીએમ કુસુમ યોજનાથી સબસીડીનો લાભ લઈ શકો છો. 👉કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને ૬૦ ટકા સુધીની સબસીડી આપે છે મળતી માહિતી મુજબ પીએમ કુસુમ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને 60 ટકા સુધીની સબસીડી આપી રહી છે. આ સિવાય ખેડૂતો ૩૦ ટકા બેંક દ્વારા પણ લોન લઈ શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતો આ પૈસાથી પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે. અને આ પાકને સારી રીતે પિયત આપી શકે છે. 👉આવી રીતે કરો અરજી આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ https://www.india.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે આધાર કાર્ડ, જમીન સહિતના દસ્તાવજો, એક ઘોષણા પત્ર, બેંક ખાતા માહિતી વગેરે જેવી મહત્વપૂર્ણ જાણકારી આપવી પડશે. સાથે જ ફોર્મમાં રાજ્ય, સોલાર પંપની ક્ષમતા, નામ મોબાઈલ નંબર સહિત ઘણી જાણકારી નોંધવી પડશે. આ ઉપરાંત ID પ્રૂફની કોપી જમા કરવી પડશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
72
21
અન્ય લેખો