ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કથીરીનું નુકસાન અને નિયત્રણ
👉કથીરી એક આર્થિક નુકસાન કરનાર જીવાત છે, જે છોડના પાંદડાં અને ફળોમાં તેના સોય જેવા મૂખ ભાગથી રસ ચૂંસીને નુકસાન પહોંચાડે છે. આ કિટકનાં ઉપદ્રવની શરૂઆતમાં પાંદડાં પર આછા પીળા સફેદ ધાબા દેખાય છે, જે સમય જતાં બદામી લાલ રંગના બની જાય છે. વધુ ઉપદ્રવ થવાથી પાંદડાં કોકડાઇ જાય છે અને પાનના ઉપરી ભાગ પર ઝીણા જાળાં જોવા મળે છે. વધુ ગંભીર ઉપદ્રવમાં પાંદડાં પીતળિયા રંગના થઈ જાય છે, અને ફળો અનિયમિત આકારના બની જાય છે.
👉કથીરીનો ઉપદ્રવ સામાન્ય રીતે પાણીની અછતવાળા પરિસ્થિતિમાં વધુ જોવા મળે છે, જે છોડની વૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે. કથીરીનું નિયંત્રણ કરવું જરૂરી છે, અને તેના માટે એગ્રોસ્ટાર ઇન્સ્પાયર (ક્લોરફેનાપાયર 10% SC) 30 મિ.લિ. પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર સિકંદર (સ્પાઇરોમેસિફેન 22.9% SC) 15 મિ.લિ. પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. આ દવાઓ કથીરીને અસરકારક રીતે કાબૂમાં રાખે છે અને પાકની ગુણવત્તા અને ઉત્પાદન સુધારવામાં મદદરૂપ બને છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!