AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કઠોળ નું ઉત્પાદન વધારવા યોજના
સમાચારએગ્રોસ્ટાર
કઠોળ નું ઉત્પાદન વધારવા યોજના
👉કઠોળના ઉત્પાદનમાં નવ ટકાનો વધારો થયો છે. આ સ્થિતિથી પ્રોત્સાહિત થઈને કેન્દ્ર સરકારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તુવેર, અડદ અને મસૂરનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે. દેશમાં કઠોળનું ઉત્પાદન છેલ્લા સાત વર્ષમાં 41 ટકા વધીને 655 કિગ્રા/હેક્ટરથી વધીને 924 કિગ્રા/હેક્ટર થઈ ગયુ છે. 👉આગામી ત્રણ વર્ષમાં કેટલાક ચોક્કસ રાજ્યોમાં દર વર્ષે ઉત્પાદન વધારવાની યોજના તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2025-26 સુધીમાં કઠોળના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં તે મદદરૂપ બનશે અને દેશમાંથી આયાત શૂન્ય સ્તરે પહોંચી જશે. સરકાર કઠોળનું ઉત્પાદન વધારવાની યોજના ધરાવે છે 👉આ વર્ષથી તુવેર માટે 45.5 લાખ ટન, અડદ માટે 23.88 લાખ ટન અને મસૂર-રબી પાક માટે 16.95 લાખ ટનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે 👉ફેબ્રુઆરીમાં ICARની કાનપુર સ્થિત ભારતીય કઠોળ સંશોધન સંસ્થા (IIPR)એ ઉન્નત બ્રીડર સીડ પ્રોડક્શન (EBSP) અને સીડ હબ પ્રોગ્રામ હેઠળ થયેલી પ્રગતિ અંગે આંતરિક બેઠકમાં વિગતવાર રજૂઆત કરી હતી. IIPR પ્રમાણે દરેક કેન્દ્ર પર 1,000 ક્વિન્ટલ બીજનું ઉત્પાદન કરવાના લક્ષ્ય સાથે વર્ષ 2016માં 150 સ્થળો પર શરૂ કરવામાં આવેલા સીડ હબ પ્રોગ્રામ અનેક અવરોધોનો સામનો કરી રહ્યો છે જેમ કે રાજ્યો અને અન્ય એજન્સીઓ દ્વારા બીજનો ધીમો ઉપાડ, ઉત્તર-પૂર્વમાં બીજ પ્રમાણન એજન્સીનો અભાવ અને કોઓર્ડિનેશન સેલ માટે ભંડોળનો અભાવ વગેરે. અળદ દાળની સૌથી વધુ આયાત 👉2022-23 ના નાણાકીય વર્ષના એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન આયાત કરાયેલ 22.86 લાખ ટન કઠોળમાંથી, અરહરનો સૌથી વધુ હિસ્સો 8.22 લાખ ટન હતો, ત્યારબાદ મસૂરનો 7.34 લાખ ટન અને અડદનો 4.94 લાખ ટનનો હિસ્સો હતો, જે ડેટા દર્શાવે છે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
8
0
અન્ય લેખો