ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કઈ પરિસ્થિતિમાં મગફળીમાં સફેદ ઘૈણ નું આક્રમણ થઈ શકે?
🥜 આપ જે ખેતરમાં મગફળી કરવા જઈ રહ્યા છો તે જો ગોરાડું કે મધ્યમ રેતાળ-ગોરાડુ જમીન હોય તો આ જીવાતનો ઉપદ્રવ વધારેમાં વધારે જોવા મળશે.
🥜 આ સીઝન પહેલા જો આપે ઉનાળુ જુવાર બાજરી જેવા પાક લીધા હશે તો પણ આ જીવાતની શક્યતા વધી જાય છે.
🥜 ઉપરાંત આપના ખેતરના શેઢા-પાળા ૫ર કે નજીકમાં બાવળ, બોરડી, સરગવો, લીમડો જેવા ઝાડ હશે અને તેમનું આપે વ્યવસ્થિત છાંટણી ન કરી હોય તો મુંડા મગફળીમાં ખેલ પાડી દેશે.
🥜 જો આવી સ્થિતી આપના ખેતરની હોય તો મગફળી વાવતા પહેલા અને જમીન તૈયાર કરતી વખતે અપાતા પાણી (ઓરવણ) વખતે એકરે 1 થી 1.5 લી ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા ટીપે ટીપે મુખ્ય ઢાળિયામાં આપી આખા ખેતરની માવજત કર્યા પછી જ વાવણી કરવાનો આગ્રહ રાખશો તો આ જીવાત આપને વધારે પજવશે નહિ.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.