AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ તલમાં  પિયત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળુ તલમાં પિયત વ્યવસ્થાપન
ઉનાળુ તલની સફળ ખેતી માટે યોગ્ય પિયત વ્યવસ્થાપન ખૂબ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, ૮ થી ૧૦ પિયત જમીનના પ્રકાર અને પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના અંતરે આપવાનું હોય છે. જોકે, પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો સ્થાનિક હવામાન અને જમીનની નમી જાળવી રાખવાની ક્ષમતા પર આધાર રાખે છે. 👉સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલ માટે પિયત વ્યવસ્થા: - પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ છઠા દિવસે આપવું. - બીજું પિયત પ્રથમ પિયત પછી છઠા દિવસે આપવું, જેથી બીજનો સારો ઉગાવો થાય. - બાકીના ૫ થી ૭ પિયત જમીનના પ્રકાર મુજબ ૮ થી ૧૦ દિવસના અંતરે આપવા. 👉તલ માટે મહત્વપૂર્ણ પિયત અવસ્થાઓ: - ફૂલ આવસ્થા - બૈઢા બેસવાની અવસ્થા 👉આ અવસ્થાઓએ પિયત અવશ્ય આપવું, જેથી ઉપજ પર સકારાત્મક અસર પડે. યોગ્ય પિયત પદ્ધતિઓ અપનાવી તલની ઉપજ અને ગુણવત્તા સુધારી શકાય. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો