AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અનિશ્ચિત હવામાન? ખેડૂત માટે તકેદારી જરૂરી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
અનિશ્ચિત હવામાન? ખેડૂત માટે તકેદારી જરૂરી!
👉આજકાલ હવામાન સતત બદલાઈ રહ્યું છે — ક્યારેક તીવ્ર તાપમાન, તો ક્યારેક અચાનક વરસાદ કે ઠંડા પવન. આવા અનિશ્ચિત હવામાનમાં પાક પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી ખેડૂતો માટે પૂર્વ તૈયારી રાખવી ખૂબ જ મહત્વની છે. 👉સૌપ્રથમ, ખેતરમાં યોગ્ય પાણી નીકળવાની વ્યવસ્થા હોવી જોઈએ જેથી અચાનક વરસાદથી પાણી ન ભરે. આથી મૂળ સડવા અને ફૂગના રોગથી બચી શકાય છે. જોરદાર પવનથી પાકને બચાવવા માટે બંધણી કે જાળી જેવા આધાર કરો. 👉તાપમાન ઓચિંતું ઘટે તો ફૂલો અને નવી કૂંપળોને ઠંડા પ્રભાવથી બચાવવા માટે જીવામૃત, ટોનિક કે પોષક તત્ત્વોની છંટકાવ કરો. આવા સમયે જીવાતનો ઉપદ્રવ પણ વધી શકે છે, તેથી નિયમિત દેખરેખ રાખવી અને યોગ્ય સમયે જીવાત નિયંત્રક છાંટવું જરૂરી છે. 👉આ આપત્તિઓ સામે પાક બીમાની સહાય લઈને નુકસાનથી બચી શકાય છે. 📌 સાચો સ્માર્ટ ખેડૂત એ જ છે જે હવામાન બદલાવની પૂર્વે તૈયારી કરે છે! ✅ આ તકેદારીથી પાક સુરક્ષિત રહેશે અને ઉત્પાદન ઘટશે નહીં. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
0
0
અન્ય લેખો