AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વિદેશમાં ભારતની બાસમતી ચોખાની ભારે માંગ
કૃષિ વાર્તાસકાલ
વિદેશમાં ભારતની બાસમતી ચોખાની ભારે માંગ
આ વર્ષે ભારતમાં બાસમતી ચોખાની 1121 જાતની મોટી માગ છે. ખાસ કરીને, આ ચોખા ઇરાન, સાઉદી અરેબિયા, કુવૈત, સંયુક્ત આરબ અમિરાત, યુરોપ અને અમેરિકામાં નિકાસ થાય છે. પાછલા વર્ષે, ભારતમાંથી 40 ટન બાસમતી ચોખાની નિકાસ અને 88.18 લાખ ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી.
ભારતથી ચોખાની કુલ નિકાસ માંથી 25 % ચોખા ફક્ત ઈરાનને નિકાસ થાય છે. તેમની વાર્ષિક ખરીદી 24.4 ટન છે.ભારત અને પાકિસ્તાનમાંથી ચોખા મુખ્યત્વે ઇરાનમાં નિકાસ કરવામાં આવે છે. આ નિકાસ ક્રૂડ તેલના બદલે આદાન પ્રદાન કરવામાં આવે છે. તાજેતરમાં, ઈરાને ક્રૂડ તેલને બદલે મોટા પાયે ચોખા નિકાસ કર્યા. ઉત્પાદનની તુલનાએ નિકાસમાં વધારો થયો હોવાથી, ચોખાની કિંમત રૂ. 1000 થી રૂ. 1500 પ્રતિ ક્વિંટલ વધી છે. આંતરરાષ્ટ્રીય બજારોની સાથે, ભારતીય બજારોમાં, રમઝાન દરમિયાન અમ્બે મોહર, લચકરી કોલમ અને સુરતી કોલમ જેવા ચોખાની માગમાં વધારો થયો છે. માંગની સામે ઓછી આવક હોવાના કારણે ચોખાના ભાવમાં ગયા મહિને વધારો થયો છે. સંદર્ભ: સકાલ, ૨૨ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
47
0