AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડિસેમ્બરથી નકલી બિયારણના વેચાણ પર લાગશે લગામ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ડિસેમ્બરથી નકલી બિયારણના વેચાણ પર લાગશે લગામ
નવી દિલ્હી- પ્રમાણિત બીજના વેચાણ માટે ડિસેમ્બર 2019 થી પેકેટ/કોથળા પર '2 ડી બાર કોડ' લગાવવો ફરજિયાત રહેશે. તેનો હેતુ નકલી બીજના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો છે. કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે બીજ ઉત્પાદક કંપનીઓએ 2 ડી બાર કોડમાં પેકેટ/બોરીમાં બિયારણને લગતી સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ઉપરાંત, આ માહિતીને ડિજિટલ રીતે પ્રદાન કરવા માટે 2 ડી બાર કોડને કેન્દ્રિય પોર્ટલ સાથે કનેક્ટ કરવામાં આવશે. 2 ડી બાર કોડમાં નિર્માતા કંપનીએ નિર્માતાઓની સંપૂર્ણ વિગતો આપવા ઉપરાંત, બીજ ઉત્પાદન સ્થળનો કોડ, પ્રોસેસિંગ પ્લાન્ટના કોડની જાણકારી આપવી પડશે. જીએમ / બીટી કપાસ વગેરેના કિસ્સામાં, પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમ મુજબ, બીજની સારવાર અને અન્ય માહિતી આપવી ફરજિયાત રહેશે. તેમણે માહિતી આપી કે માત્ર સીડ્સ એક્ટ હેઠળ સૂચિત જાતો જ પ્રમાણપત્ર માટે પાત્ર છે. દેશમાં 25 રાજ્યોમાં બીજ પ્રમાણીકરણ એજન્સીઓ કાર્યરત છે. જે રાજ્યોમાં પ્રમાણીકરણ એજન્સીઓ નથી, તેમાં સ્વતંત્ર બીજ પ્રમાણીકરણ એજન્સીઓ બનાવવાનો ભાર મુકવામાં આવશે. બીજ પ્રમાણીકરણ એજન્સીઓને કેન્દ્રીય સહાયતા આપીને મજબૂત બનાવવાની જરૂર છે અને આ બીજનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સંદર્ભ : આઉટલુક એગ્રિકલ્ચર, 11 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
112
0