યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
PM સૂર્ય ઘર યોજનાની થઇ શરૂઆત
☄️1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મફત વીજળી માટે સૌર યોજનાની જાહેરાત કરી હતી. હવે આ યોજના હેઠળ PM નરેન્દ્ર મોદીએ પોર્ટલ લોન્ચ કર્યું છે. તેનું નામ છે- પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના. ચાલો જોઈએઆ યોજના ને વધુ માહિતી .
પીએમ મોદીએ યોજના પર શું કહ્યું
☄️પીએમ મોદીએ જણાવ્યું કે - 75,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણવાળી આ સ્કીમનું લક્ષ્ય દર મહિને 1 કરોડ ઘરો સુધી 300 યુનિટ મફત વીજળી આપવાનું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ યોજના હેઠળ સબસિડીથી લઈને ભારે કન્સેશનલ બેંક લોન સુધી બધું જ આપવામાં આવશે. સરકાર સુનિશ્ચિત કરશે કે લોકો પર ખર્ચનો બોજ ન પડે. તમામ હિતધારકોને રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ સાથે જોડવામાં આવશે જે વધુ સુવિધા આપશે
યોજના વિશે
☄️યોજના હેઠળ એક કરોડથી વધુ પરિવારને લાભ મળશે. આ અંતર્ગત લાભાર્થી પરિવારને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. તમને જણાવી દઈએ કે જો ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવે છે તો સરકાર 60% સુધી સબસિડી આપશે. આ યોજનાનો ખર્ચ આશરે 75,000 કરોડ રૂપિયા રહેવાની ધારણા છે. આ યોજના માત્ર વીજળીના બિલમાં ઘટાડો કરશે નહીં પરંતુ ઊર્જા સુરક્ષા, પ્રદૂષણમાં ઘટાડો અને રોજગાર નિર્માણમાં પણ મદદ કરશે.
કઈ રીતે કરશો અરજી
☄️આ યોજના ની વધુ માહિતી માટે અને અરજી કરવા માટે https://pmsuryaghar.gov.in/ વેબસાઈટ ની મુલાકાત લો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો.