સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બીજસંગ્રહ દરમિયાન રોગ જીવાત નું સંકલીત નીયંત્રણ
1) બીજનો સંગ્રહ વિસ્તાર સાફ રાખો.
2) વરસાદનું પાણી સંગ્રહસ્થાનમાં આવે નાં માટે કાળજી લેવી જોઈએ.
3) બીજમાં 10 થી 12 ટકાની રેન્જમાં ભેજ રાખો.
4) જમીન પરથી યોગ્ય ઊંચાઈએ બેગનો સંગ્રહ કરવો જોઈએ, જેથી તે જમીન સાથે સંપર્કમાં ન આવે.
5) સંગ્રહસ્થાનમાં રાખવા માટે બજારમાં ઉપલબ્ધ જંતુના નિયંત્રણ માટે ટ્રેપનો ઉપયોગ કરો.
6) જો બીજ એર-ટાઈટ થેલામાં સંગ્રહિત કરવામાં આવે, તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે, જેથી ઓક્સિજન ન મળતા જંતુઓવૃદ્ધિ પામી શકતા નથી.
7) સંગ્રહ માટેના થેલામાં લીમડાના પાંદડાઓ ભેળવીને રાખવાથી જંતુ નિયંત્રણ વધુ સારી થઈ શકે છે.
8) નિમ તેલ અથવા નિમ અર્ક પૈકી કોઈ દવા 2 મિલી પ્રતિ 1 કિલો બીજમાં મિશ્ર કરી શકાય છે.
9) બેગના સંગ્રહવાળી જગ્યાઓ પર જંતુઓનો નાશ કરવા માટે, કનાગી (એક પ્રકારનો સ્ટોરેજ), કાયમી સ્ટોરેજ, પરિવહન સાધનો અને દિવાલની તિરાડો વચ્ચે મેલેથોન 1 લિટર ને 100 લિટર પાણીમાં લઇને સ્પ્રે કરવો જોઈએ. તે પછી જ બીજ સંગ્રહિત કરવા જોઈએ.
10) ચોમાસામાં દવાના ધુમાડા દ્વારા જંતુઓ અને ફૂગથી બીજને સુરક્ષિત કરી શકાય છે. પરંતુ આ માટે સંગ્રહસ્થાન હવાચુસ્ત હોવું જોઈએ.
એગ્રોસ્ટાર ફોરેન્સિક સેન્ટર એક્સેલન્સ