AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઇની માખીની ઇયળનું સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ)
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાઇની માખીની ઇયળનું સંકલિત વ્યવસ્થાપન (આઇપીએમ)
રાઇ/રાયડાનું દુનિયામાં વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કેનેડા છે. ભારતમાં સૌથી વધુ રાયડાનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે અને ત્યાર પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાના, પંજાબ ગુજરાત અને મહારાષ્ટ્રાનો સમાવેશ થાય છે. આ પાકમાં રાઇની માખીની ઈયળ ઉપરાંત મોલો અને રંગીન ચૂસિયાંથી નુકસાન થતુ હોય છે. પાકમાં રાઇની માખીનો ઉપદ્રવ પાકની શરુઆતની અવસ્થાએ આવતો હોવાથી આ ઇયળ માટે સવિષેશ કાળજી રાખવી જરુરી છે. ઇયળો ઘેરા લીલાસ પડતા કાળા રંગની હોય છે અને તેના ઉદર પ્રદેશ પર આઠ જોડ પગ ધરાવે છે. આની ઈયળને અડકતાં ગુચળુ વળીને જમીન પર પડી જઈને મરી ગયાનો ઢોંગ કરે છે. રાઇનો પાક ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારથી આ જીવાત પાનમાં ગોળાકાર કાણાં પાડીને નુકસાન કરે છે. પાનની નીચેની બાજુએ એક કરતા વધારે ઇયળો જોવા મળે છે. કેટલીક વખત ઉપદ્રવ વધુ હોય તો નાના છોડ પાન વગરના થઇ જાય છે. આવા સંજોગોમાં ફરીથી વાવણી કરવાની જરુરીયાત ઉભી થાય છે. આ ઇયળ રાઇ ઉપરાંત મૂળા, મોગરી અને અસાળિયા જેવા પાકને પણ નુકસાન કરતી હોય છે.
સંકલિત વ્યવસ્થાપન:_x000D_ o ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઇ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો._x000D_ o આ જીવાતની વસ્તી ૨ ઇયળ પ્રતિ ચો. ફુટ કરતાં વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. _x000D_ o આ ઇયળના નિયંત્રણ માટે બુવેરિયા બેસીઆના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરી બાયોપેસ્ટીસાઇડનો લાભ લઇ શકાય._x000D_ o તેમ છતાં ઉપદ્રવ કાબુમાં ન આવે તો ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. _x000D_ o ભૂકીરૂપ કીટનાશક દવા ક્વિનાલફોસ ૧.૫ ટકા અથવા ક્લોરપાયરીફોસ ૨ ટકા ભૂકી પ્રતિ હેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. ભૂકારુપી દવાઓનો વાતાવરણ અને પરજીવી અને પરભક્ષી કિટકોને અસર કરતી હોવાથી આ દવાઓનો આગ્રહ ઓછો રાખવો._x000D_
142
1
અન્ય લેખો