AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જરબેરા ફૂલની ખેતીની જૈવિક પદ્ધતિ
જૈવિક ખેતીએગ્રોવન
જરબેરા ફૂલની ખેતીની જૈવિક પદ્ધતિ
જરબેરા ફૂલો આકર્ષક હોય છે અને લાંબા સમય સુધી રાખી શકાય છે. તેનો લગ્ન પ્રસંગમાં વ્યાપકપણે ઉપયોગ કરાય છે. આ ફૂલોની ઊંચી માગને કારણે, તેમની બજારની કિંમત પણ ઊંચી છે. તેથી, ભારતમાં આ ફૂલોની ખેતી દિવસે દિવસે વધી રહી છે. પાકમાં જીવાણુ ખાતરનો ઉપયોગ 500 ગ્રામ એઝોસ્પીરીલમ, 50 ગ્રામ ફોસ્ફરસ બેક્ટેરિયા ખાતર, ટ્રાઇકોડર્મા 500 ગ્રામ / 10 કિલો છાણ સાથે મેળવો અને તે પ્લાસ્ટિક કાગળમાં 8-10 દિવસ માટે ઢાંકીને રાખો. તેના ત્રણ અઠવાડિયા પછી ત્રણ સો વર્ગ મીટરમાં જરબેરા ની રોપણી માં આપવું જોઈએ. રોગ નિયંત્રણ પ્રારંભિક વૃદ્ધિ તબક્કામાં ફૂગ જન્ય રોગના કારણે મૂળ સુકારાની શક્યતા વધુ હોય છે. રોગકારક ફૂગ સામાન્ય રીતે છોડને સંક્રમિત કરે છે. રોગકારક રાયઝોક્ટોનિયા, ફ્યુજારિયમ, પિથિયમ, ફાયટોપ્થોરોરા અને સ્ક્લેરોશિયમ થાય છે. રોગના લક્ષણો રોગના કારણે ધરૂવાડિયામાં છોડ નાશ પામે છે. ફૂગ સામાન્ય રીતે જમીનમાં ખેતી પછી નીકળે છે અને સમગ્ર વિસ્તારને સુકવી દે છે અને સમય સાથે આખા ઝાડને સુકવી નાખે છે. જો પાણીનો નિતાર સારો ન હોય અને ભેજની માત્રા વધુ રહે તો રોગ થી મોટા પ્રમાણમાં ભાગ ખતમ થઇ જાય છે. નિયંત્રણ ના પગલાં • છોડ રોપતા પહેલાં જમીનને જંતુમુક્ત કરો. જંતુનાશક આપ્યા બાદ 7-10 દિવસ પછી રોપણી કરવી જોઈએ. • સ્વસ્થ છોડ જ લગાવો. • ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનસનો ઉપયોગ જૈવિક ફુગનાશક 500 ગ્રામ / 10 કિલો છાણીયા ખાતર સાથે અલગ-અલગ કરો, જેથી છોડ લગાવવાના પહેલા જ રોગને નિયંત્રિત કરી શકાય. ધ્યાન આપો દર મહિને છોડના મૂળની આસપાસ તૈયાર ગોલ ને લાગુ કરો. ખાતર સંતુલન માટે ભલામણો અનુસરો. સંદર્ભ : એગ્રોવન
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
285
0