AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુને ખોરાકમાં પ્રક્રિયા કરેલ ઘાસચારો આપતાં પહેલા સાવચેતી દાખવો.
પશુપાલનએગ્રોવન
પશુને ખોરાકમાં પ્રક્રિયા કરેલ ઘાસચારો આપતાં પહેલા સાવચેતી દાખવો.
જો પ્રક્રિયા કરેલ ઘાસચારાને યોગ્ય પ્રમાણમાં આપવામાં ન આવે તો તેનાથી હાનિ થઇ શકે છે. તેથી જ તેના ઉપયોગ માટે યોગ્ય પદ્ધતિ અનુસરવી જરૂરી છે. 1. રોજિંદા ખોરાક સાથે આપવામાં આવતા પ્રક્રિયા કરેલ ઘાસચારો અને સિલજના મિશ્રણની માત્રાને ધીમે ધીમે વધારો. પાંચથી સાત દિવસના અંતરાલમાં સંપૂર્ણ ભાગ આપવાનું શરૂ કરી દેવું. 2. કોઈ રોગ દરમિયાન, પશુઓને પ્રક્રિયા કરેલ ઘાસચારો ખાવા આપવો જોઇએ નહિ. 3. પ્રક્રિયા કરેલ ઘાસચારો અને સિલજના મિશ્રણનો સંગ્રહ હવાચુસ્ત થેલીમાં કરવો જોઇએ. પ્રક્રિયા કરેલ ઘાસચારો અને સિલજનું પ્રથમ સ્તર ઢોર માટે ખૂબ અનિવાર્ય છે.
4. યુરિયાયુક્ત-પ્રક્રિયા કરેલ ઘાસચારો અને સિલજના મિશ્રણને જમીન પર પ્રસરાવવું જોઇએ, અને એમોનિયાની વાસ જતી રહે ત્યારબાદ જ આ ચારો ઢોરને ખવડાવવો જોઇએ. 5. જીવાતને દૂર રાખવા પ્રક્રિયા કરેલ ઘાસચારો અને સિલજના મિશ્રણને બરાબર ઢાંકીને રાખવું જોઇએ. 6. છ મહિનાના વાછરડાંની વાગોળવાની ક્ષમતા બરાબર બંધાયેલી નથી હોતી; તેથી તેને પ્રક્રિયા કરેલ ઘાસચારો અને સિલજનું મિશ્રણ ખવડાવવું જોઈએ નહિ. સંદર્ભ - એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
453
0
અન્ય લેખો