જૈવિક ખેતીખેતી બધાં માટે
દશપર્ણી અર્ક : તૈયાર અને સંગ્રહ કરવાની પદ્ધતિ
દશપર્ણી અર્ક તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવતું હોવાથી તે બધાં જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. તે છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે સાથે વિષાણુ અને ફૂગ પ્રતિકારક પણ છે. ખેડૂતો આ દ્રાવણને ઘરે પણ તૈયાર કરી શકે છે.
ઘટકો:
● નીચે જણાવેલ છોડના ભાગોને 500 લિટર ડ્રમમાં વાટવા
● લીંબડાના પાન – 5 કિ.ગ્રા.
● જમાલ ગોટા અને પપૈયાના પાન – 2 કિ.ગ્રા.
● ગળો(ગિલોય)ના પાન – 2 કિ.ગ્રા.
● સીતાફળના પાન – 2 કિ.ગ્રા., કરંજના પાન – 2 કિ.ગ્રા., એરંડાના પાન – 2 કિ.ગ્રા.
● કરેણના પાન – 2 કિ.ગ્રા.
● આકડાના પાન – 2 કિ.ગ્રા.
● વાટેલા લીલા મરચાં – 2 કિ.ગ્રા.
● વાટેલું લસણ – 250 ગ્રામ
● ગાયનું છાણ – 3 કિ.ગ્રા., ગૌમૂત્ર – 5 લિટર, પાણી – 200 લિટર
તૈયાર કરવાની પદ્ધતિ
● 200 લિટરનું (પ્લાસ્ટિક ડ્રમ અથવા તેના જેવું) વાસણ લો.
● પ્રથમ તેમાં પાણી રેડો.
● દસ પ્રકારના તમામ પાંદડાને પાણીમાં ડૂબાડો
● ડૂબેલા પાંદડા પર ગાયનું છાણ અને ગૌ મૂત્રને રેડો
● તેને સારી રીતે ભેળવી દો અને 5 દિવસ માટે મૂકી રાખો
● છઠ્ઠા દિવસે, 5-7 લિટર પાણી ઉમેરો અને વાસણમાંના બધા ઘટકોને ફરીથી ભેળવી દો.
● તેને એક મહિના માટે યથાવત છોડી દો
● આ દ્ર્રાવણ ગાળ્યા બાદ દશપર્ણી અર્ક ઉપયોગમાં લેવા માટે તૈયાર છે.
સંગ્રહ કરવાની પદ્ધતિ
● આ કીટનાશક તૈયારી દરમિયાન તેમજ તેના સંગ્રહ દરમિયાન કીટનાશકને છાંયડામાં રાખવું જોઇએ અને આ દ્રાવણને માખી દ્વારા મુકાતા ઇંડાથી અને ઈયળોની ઉત્પતિથી બચાવવા તારની જાળી અથવા પ્લાસ્ટીકની મચ્છરદાનીથી ઢાંકવું જોઇએ.
● અર્કને છ મહિના સુધી સંગ્રહી શકાય અને તે એક એકર જમીન માટે પર્યાપ્ત છે..
● કીટનાશકને સારી સ્થિતિમાં ચાર મહિના સુધી સંગ્રહ કરી શકાય છે.
કીટનાશકનો ઉપયોગ કેવી રીતે કરવો?
છંટકાવ પદ્ધતિ – કીટનાશકને છોડ પર છંટકાવ કરી શકાય છે.
સૂચન:
● 125 મિલિ કીટનાશકને 10 લિટર પાણી ભેળવીને મંદ દ્રાવણ બનાવો અથવા
● એક એકર માટે 2.5 લિટર કીટનાશકને 200 લિટર પાણી ભેળવીને મંદ દ્રાવણ બનાવો.
સ્ત્રોત : એગ્રીકલ્ચર ફોર એવરીબડી
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો