AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેન્દ્ર સરકારે રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કેન્દ્ર સરકારે રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રવી માર્કેટિંગ સીઝન 2020-21 માટે પાકનો લઘુતમ ટેકાનો ભાવ (એમ.એસ.પી.) માં 4.61 ટકાથી 7.26 ટકાનો વધારો કર્યો છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઇએ) ની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે રવિ પાકનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 85 થી વધારીને 325 રૂપિયા કર્યો છે.
મુખ્ય રવી પાક ઘઉંના ટેકાનો ભાવ 85 રૂપિયા નો વધારો કરીને 1,925 રૂપિયા પ્રતિ કવિન્ટલ નક્કી કર્યા છે. જો કે ટેકાના ભાવમાં 5.90 ટકાનો વધારો કરીને માર્કેટિંગ સીઝન 2020-21 માટેનો એમએસપી 1,525 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે._x000D_ રવી તેલીબિયાંનો મુખ્ય પાક રાયડાના ટેકાના ભાવમાં 5.35 ટકા એટલે કે 225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરી 4,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કર્યો છે. સૂર્યમુખીના ટેકાના ભાવમાં 270 રૂપિયાનો વધારો કરી ભાવ 5,215 રૂપિયા પ્રતિ કવિન્ટલ નક્કી કર્યા છે._x000D_ તે જ સમયે, રવી કઠોળનો મુખ્ય પાક ચણા એમએસપી રવિ માર્કેટિંગ સીઝન 2020-21 માટે 5.51 ટકા વધારીને 4,875 રૂપિયા પ્રતિ કવિન્ટલ નક્કી કર્યા છે. વર્તમાન રવી માટે મહત્તમ વધારો મસૂરના ટેકાના ભાવમાં 7.26 ટકા એટલે કે 325 રૂપિયાનો ટેક્સ ભાવ 4,800 રૂપિયા પ્રતિ કવિન્ટલ નક્કી કર્યા છે._x000D_ _x000D_ સંદર્ભ- આઉટલુક એગ્રિકલ્ચર, 23 ઓક્ટોબર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
587
0