એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર માં ઇયળો નું અસરકારક નિયંત્રણ !
👉હાલ તુવેર ફૂલ-પાપડી અવસ્થાએ હશે અને તેમાં લીલી ઇયળ, શીંગ માખીની ઇયળ, ટપકાંવાળી ઇયળ કે પછી પિછીંયા ફૂદાની ઇયળથી નુકસાન જોવા મળશે.
👉દરેક ઇયળની નુકસાન કરવાની પધ્ધતિ અલગ-અલગ હશે પણ તે ફૂલ-ભમરી અને વિકસતી શીંગોને નુકસાન કરતી હોય છે અને તેવી અસરગ્રસ્થ શીંગોમાં દાણા ભરાતા નથી કે પછી દાણા નુકસાનવાળા જોવા મળશે.
નિયંત્રણ:
👉એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી 4 ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૧૬ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઇયળો સામે રક્ષણ મેળવી શકાય.
👉દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ક્લિક કરો. ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-375,AGS-CP-600,AGS-CP-661,AGS-CP-731&pageName=
👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.