કૃષિ વાર્તાકૃષક જગત
કેબિનેટે વર્ષ 2020-21 માટે પી એન્ડ કે ખાતરો માટે પોષક આધારિત સબસિડી (એનબીએસ) દરોની આપી મંજૂરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પર કેબિનેટ સમિતિ (સીસીઇએ) એ વર્ષ 2020-21 માટે ફોસ્ફરસયુક્ત અને પોટાશ (પી એન્ડ કે) ખાતરો માટે પોષક તત્વ આધારિત સબસિડી (એનબીએસ) દર નિર્ધારિત કરવાની મંજૂરી આપી દીધી છે. એનબીએસ માટે સ્વીકૃત દરો નીચે મુજબ છે:
સીસીઈએ એ એનબીએસ યોજના હેઠળ એમોનિયમ ફોસ્ફેટ (એનપી 14:28:0:0) નામના એક જટિલ ખાતરને શામેલ કરવાની મંજૂરી પણ આપી છે._x000D_
2020-21 દરમિયાન પી એન્ડ કે ખાતરો પર સબસિડી માટે અંદાજે રૂ. 22,186.55 કરોડ ખર્ચ થશે._x000D_
ખાતર કંપનીઓને સીસીઇએ દ્વારા માન્ય સબસિડી દરો પર પી એન્ડ કે પર સબસિડી આપવામાં આવશે._x000D_
સરકાર ખાતર ઉત્પાદકો / આયાતકારો દ્વારા ખેડુતોને સબસિડી ભાવે 21 કેટેગરીમાં યુરિયા અને પી એન્ડ કે ખાતરો પ્રદાન કરી રહી છે, 01 એપ્રિલ 2010 થી એનબીએસ યોજના હેઠળ પી એન્ડ કે ખાતરો પર સબસિડી આપવામાં આવી રહી છે. ખાતર કંપનીઓને ઉપરોક્ત દર પ્રમાણે સબસિડી આપવામાં આવશે, જેથી તેઓ સસ્તા ભાવે ખેડુતોને ખાતર આપી શકે._x000D_
સંદર્ભ : કૃષક જગત 7 મે, 2020 _x000D_
આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_