AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
790 ટન ડુંગળી આયાત કરી
કૃષિ વાર્તાપુઢારી
790 ટન ડુંગળી આયાત કરી
નવી દિલ્હી: ભારતમાં આયાત કરાયેલ 790 ટન ડુંગળીની પહેલી બેચ આવી ગઈ છે. ભાવોમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. આ ડુંગળીને બંદર પર આયાત કરવાનો ખર્ચ 57 રૂપિયાથી લઈને 60 રૂપિયા પ્રતિ કિલોનો છે. તે જાણ કરવામાં આવી છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંત સુધીમાં અન્ય 12,000 ટન ડુંગળીની આયાત થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં જાહેર ક્ષેત્રની એમએમટીસીએ 4949 ટન ડુંગળીની આયાત કરવાનો કરાર કર્યો છે. દેશના મોટા શહેરોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા છે. કેટલાક વિસ્તારોમાં ડુંગળીનો ભાવ 160 પ્રતિ કિલો રૂપિયા છે. અધિકારીએ જણાવ્યું કે 290 ટન અને 500 ટનનાં બે જહાજો મુંબઈ પહોંચી ચૂક્યા છે. આ ડુંગળીનો ભાવ રાજ્ય સરકારોને 57 થી 60 રૂપિયા પ્રતિ કિલો ના દરે આપવામાં આવે છે. ડુંગળી તુર્કીસ્તાન, ઇજિપ્ત અને અફઘાનિસ્તાન આ દેશોમાંથી આયાત કરવામાં આવી છે. સંદર્ભ - પુઢારી, 26 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
188
0