AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
75% સબસિડી!! જાણો કઈ છે યોજના અને કેવી રીતે છે ઉપયોગી !
યોજના અને સબસીડીGSTV
75% સબસિડી!! જાણો કઈ છે યોજના અને કેવી રીતે છે ઉપયોગી !
📢 કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સૌર વીજળી યંત્ર લગાવવા માટે સરકારી મદદ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડુતોને સૌર પંપ લગાવવા માટે મોટા પાયદાન પર સબસીડી ઉપલબ્ધ કરાવે છે. ✔ પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ, રાજ્યમાં 75% સબસિડી આપીને 3 HP થી 10 HP ક્ષમતાના એકલ સોલાર પંપ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ, સબસિડીની રકમના 30 ટકા કેન્દ્ર નાણાકીય સહાય અને 45 ટકા રાજ્ય સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. નિયમો અનુસાર ખેડૂતોએ માત્ર 25 ટકા રકમ ચૂકવવાની હોય છે. આ પંપ ખેડૂતો દ્વારા માત્ર સિંચાઈ હેતુ માટે જ લગાવવામાં આવ્યા છે. આમાં વીમા કવચ પણ આપવામાં આવે છે. ☀ કુસુમ યોજનામાં નોંધણી માટે ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકો છો. ☀ અરજદારે સોલાર પાવર પ્લાન્ટ માટે અરજી ફી પણ ચૂકવવાની રહેશે, ☀ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ પર જઈ શકો છો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
67
24
અન્ય લેખો