AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો ! સરકાર ની મોટી ભેટ !
કૃષિ વાર્તાસંદેશ
5 કરોડ ખેડૂતોને થશે મોટો ફાયદો ! સરકાર ની મોટી ભેટ !
આજે મોદી કેબિનેટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે 60 લાખ ટન ખાંડ ની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી થનારી આવક, સબસિડી થી 5 કરોડ ખેડૂતોને સીધો લાભ થશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે આ જાણકારી આપી હતી. ખેડૂત કાયદાના રોષ વચ્ચે શેરડીના ખેડૂતોને લાભ આ વર્ષે સરકારે 60 લાખ ટન ખાંડ નિકાસ પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખાતામાં સીધી સબસિડી જમા થશે. આ સબસિડી પાછળ 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત 18000 કરોડ રૂપિયાની આવક પણ ખેડૂતોને મળશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી દેશના 5 કરોડ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત 5 લાખ કામદારોને પણ તેનો લાભ થશે. મંત્રીના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહની અંદર જ 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને મળવા લાગશે. 60 લાખ ટન ખાંડને 6 હજાર રૂપિયા પ્રતિ ટનના હિસાબે નિકાસ કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ખાંડનું ઉત્પાદન 310 લાખ ટન જેટલુ થશે તેની સામે દેશમાં ખાંડની ખપત 260 લાખ ટનની છે. ખાંડના ભાવ પણ ઓછા હોવના કારણે ખેડૂતો અને ઉદ્યોગો સંકટમાં છે. જેનો ઉકેલ લાવવા માટે 60 લાખ ટન ખાંડની નિકાસ પર સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રકાશ જાવડેકરના જણાવ્યા પ્રમાણે પૂર્વોત્તરમાં વિજળી વ્યવસ્થામાં સુધાર લાવવા માટે નવા બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલા સરકાર તેના પર 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરતી હતી પરંતુ હવે તેમાં વધારો કરીને 6700 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. આમ કરવાથી એક ટ્રાંસમિશન લાઈનને પ્રોત્સાહન મળશે અને 24 કલાક વિજળીના લક્ષ્યને પણ પુરૂ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર તરફથી સ્પેક્ટરમની હરાજી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ સ્પેક્ટ્રમની 2016માં હરાજી કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારે ટેલિકોમ ક્ષેત્ર માટે રાષ્ટ્રીત સમિતિ બનાવવાનો પણ નિર્ણય લીધો છે. સંદર્ભ : સંદેશ.16 ડિસેમ્બર 2020. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
48
15
અન્ય લેખો