AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુઓમાં આવતા રોગો અને બચવાના ઉપાયો
પશુપાલનએગ્રોસ્ટાર
પશુઓમાં આવતા રોગો અને બચવાના ઉપાયો
🐃પશુપાલકોએ ઋતુ અનુસાર પશુઓની કાળજી રાખવી પડે છે. જેમાં પશુઓને ખોરાકમાં શું આપવું, પશુઓમાં રસીકરણ ક્યારે અને કયા રોગના રક્ષણ માટે કરાવવું વગેરે બાબતોની સમયાંતરે કાળજી લેવી પડે છે. પશુપાલકોને આ અંગે જાણકારી હશે તો તે ગુણવત્તા યુક્ત અને વધારે દૂધ ઉત્પાદન મેળવી શકે છે. ચાલો જાણીએ પશુઓની કેવી રીતે કાળજી લેવી અને પશુઓમાં આવતા જુદા-જુદા રોગો અને તેનાથી બચવાના કયા ઉપાયો કરવા જોઈએ. 🐃આઉં સોજાના લક્ષણો અને ઉપાય આ રોગનું નિદાન મુખ્યત્વે રોગના ચિહ્નો, દુધની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થતું હોય છે. દુધની ચકાસણી મસ્ટાઈટીસ ડીટેકશન સ્ટ્રીપકેલિફોર્નિયા મસ્ટાઈટીસ ડીટેકશન કિટ તથા ક્લોરાઈડ ટેસ્ટ, કેટાલેઝ ટેસ્ટ ગળસુંઢો મુખ્યત્વે ગાય, ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે. 🐃લક્ષણો: પશુમાં તાવ, મોઢામાંથી લાળ પડે, શ્વાસોચ્છવાસ વધે, ધબકારા વધે, ગળાના ભાગે સોજા આવે, ગળામાંથી અવાજ પણ થાય છે. 🐃રોગનું નિયંત્રણ: દર 6 માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલા મે-જુનમાં તથા ડિસેમ્બરમાં તેની રસી મુકાવી હિતાવહ છે. 1. આઉં અને આંચળને દૂધ દોહન પહેલા ટીટ ડીપ દ્રાવણથી સાફ કરવું. 2. દૂધ દોહન બાદ પશુ ૧૫-૨૦ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું. 3. પશુના રહેઠાણમાં સિમેન્ટ કોંક્રીટના પાકા ભોયતળીયા ન બનાવવા. 🐃ગાંઠિયો તાવના લક્ષણો અને ઉપાય લક્ષણો: પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ બેચેન બની જાય, ચાલી ન શકે, થાપાના ભાગે ખરાબ વાસવાળું કાળું પ્રવાહી ભરાયેલું હોય, ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી ક્રીપીટેશનસાઉન્ડ (ફુગ્ગાનો ચચરાટી વાળો અવાજ) આવે. રોગની તીવ્રતામાં ૨૪ કલાકમાં પશુ મરણ પામી શકે છે. 🐃ઉપાય: ગાંઠીયો તાવ (બી.ક્યુ.)નું વેકસીનેશન ચોમાસા પહેલાં ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શક્યતાવાળા વિસ્તારમાં કરવું જોઈએ. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
2
અન્ય લેખો