AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરુમાં ક્યારેક લીલી ઈયળનું નુકસાન જોવા મળે, તો શું ઉપાય કરશો?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જીરુમાં ક્યારેક લીલી ઈયળનું નુકસાન જોવા મળે, તો શું ઉપાય કરશો?
🐛જીરુંના પાકમાં થોડા સમય થી લીલી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે.જે પાકમાં ફુલ અવસ્થા પછી જોવા મળે છે.તો જાણીએ તેના નિયંત્રણ વિશે. 🐛મોલો અને થ્રીપ્સ ઉપરાંત ઈયળ પણ આ પાકને નુકસાન કરતી હોય છે. છેલ્લા ૪-૫ વર્ષોથી લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. મોટેભાગે પાકમાં ફૂલ અવસ્થાએ લીલી ઈયળ નુકસાન કરતી હોય છે. જીરાના ખેતરની આજુબાજુ ચણા કે ટામેટા કર્યા હશે તો આ ઈયળ આવવાની શક્યતા વધી જતી હોય છે. ક્યાંક ક્યાંક જો ઈયળ દેખાતી હોય તો કોઈ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવા (૧૦૦૦૦ પીપીએમ – ૧% ઈસી દવા ૧૦ મિલી પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે) અથવા અમેઝ-એકસ (ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% SG) @ ૧૦ ગ્રામનો છંટકાવ કરી દેવો. મોટી ઈયળો હાથથી વીણી લઇ નાશ કરવી. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
0