AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વૈજ્ઞાનિક સલાહ થી કરો જીવાણું થી થતા ટપકાંના રોગનું નિયંત્રણ.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વૈજ્ઞાનિક સલાહ થી કરો જીવાણું થી થતા ટપકાંના રોગનું નિયંત્રણ.
🍅ટામેટાનું વાવેતર કેરતા ખેડૂતભાઈઓને પાકમાં અત્યારે ટપકા પડવાનો પ્રશ્ન જોવા મળતો હશે.તો આજે આપણે ટામેટાના પાકમાં જીવાણું થી થતા ટપકાનો રોગ અને તેનું નિયંત્રણ વિશે વાત કરીશું. Image-1 &2 🍅આ રોગ છોડમાં પાન,દાંડી અને ફળ પર હુમલો કરે છે.શરૂઆતમાં વિકસેલા છોડના પાન ઉપર નાના પીડાથી-લીલા વિકૃત ટપકાં જોવા મળે છે. image-3&4 🍅આ ટપકા જુના પાન પર સમય જતા ખુણીયા આકારના થઈ જાય છે .જે સૌ પ્રથમ ઘેરા લીલા રંગના અને પાણી પોચા જોવા મળે છે.ઘણી વખત આ ટપકા પીળાશ પડતા રંગથી ઘેરાયેલા પાનની કિનારી પર જોવા મળે છે. Image-5&6 🍅આ ટપકા અનુકુળ પરિસ્થિતિ માં મોટા થાય છે અને કથ્થઈ થી લાલ-સોનેરી રંગમાં ફેરવાય જાય છે. છેવટે ટપકા નો મધ્ય ભાગ સુકાઈ ને ખરી પડવાથી પાન પર કાણા પડે છે. image-7&8 🍅આ ટપકાં ઉપદ્રવ વધતા ફળ પર પણ જોવા મળે છે જે લીલાશ પડતા પાણી પોચા હોય છે જે આખરે ખરબચડા અને કથ્થઈ રંગમાં ફેરવાય છે.આ રોગને શરૂઆતથી જ નિયંત્રણ કરવામાં ના આવે તો પાછળથી તેનું નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ બને છે અને ઉત્પાદનમાં પણ માઠી અસર જોવા મળે છે. 🍅હવે વાત કરીયે તેના રાસાયણિક નિયંત્રણ વિશે તો પ્રથમ છંટકાવમાં કુપર-૧ (કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% WG) @ ૪૫ ગ્રામ અથવા રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી અને સાથે કાસુ-બી @ (કાસુગામાસીન 3% SL) @ ૪૦ મિલી/૧૫ લીટર પાણી માં મિક્સ કરીને છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
4
1