AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હાલની મોસમમાં અનાજનું ઉત્પાદન લગભગ 28.13 મિલિયન ટન થશે
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
હાલની મોસમમાં અનાજનું ઉત્પાદન લગભગ 28.13 મિલિયન ટન થશે
દેશમાં સરેરાશ 9% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયેલ છે, છતાં પણ મહત્તમ ઉત્પાદન થવાની અપેક્ષા છે. નવી દિલ્લી, ખરીફ મોસમમાં, દેશમાં સરેરાશ 9% કરતાં પણ ઓછા વરસાદના લીધે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, અને બિહારના ઘણા ભાગોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. છતાં પણ, હાલ 2018-19 ની ખેતીની મોસમમાં અનાજનું ઉત્પાદન લગભગ 281.3 લાખ ટન થશે, જ્યારે ગયા વર્ષે 2017-18 માં અનાજનું ઉત્પાદન 277.4 લાખ ટન થયુ હતું.
કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા બીજા અગ્રીમ અંદાજપત્ર મુજબ 2018-19 માં ખેતીની મોસમમાં ચોખાનું ઉત્પાદન 115.6 લાખ ટન થવાનો અંદાજ છે, જે 2017-18 ની ખેતીની મોસમના બીજા અંદાજપત્ર કરતા 111.0 લાખ ટન વધુ છે. ઘઉંનું ઉત્પાદન પણ ગત વર્ષ 971 લાખ ટનની સરખામણીમાં આ વર્ષે 991 લાખ ટન નોંધવામાં આવ્યું છે. સ્ત્રોત – આઉટલુક એગ્રીકલ્ચર,28 ફેબ્રુઆરી 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
6
0