AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સૌર ડ્રાયર ઓછા સૂર્યતાપમાં પણ શાકભાજીને સુક્વશે
કૃષિ વાર્તાAgrostar
સૌર ડ્રાયર ઓછા સૂર્યતાપમાં પણ શાકભાજીને સુક્વશે
સૌર ડ્રાયર(શોષક) મશીન, જે માત્ર 19,000 રૂપિયામાં તૈયાર કરાવાઇ છે. તે માત્ર એક જ દિવસમાં વટાણા, કારેલા, કોબીજ, પર્ણ કોબીને સૂકાવી શકે છે; તે સૂર્યના ઓછા તાપમાં પણ કાર્ય કરી શકે છે. શાકભાજીને સૂકાવી તેનો બગાડ થતો અટકાવવા અને તેમનો ઓફ સીઝન માટે સંગ્રહ કરવા ‘બીએચયુ કૃષિ વિજ્ઞાન સંસ્થા’ દ્વારા ‘સૌર ડ્રાયર’ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. ખેડૂતો ઓફ સીઝનમાં પણ આવા શાકભાજીનું વેંચાણ કરી નફો મેળવી શકે છે. આ મશીનને કેન્દ્રિય યોજના અંતર્ગત ખેડૂતોને ફાળવવામાં આવશે, અને તેમને આના માટે પ્રશિક્ષિત પણ કરવામાં આવશે.. કૃષિ વિજ્ઞાનની સંસ્થા, બીએચયુ,ના પ્રધ્યાપક જે.એસ. બોહરાએ કહ્યું હતું કે સૂર્ય દ્વારા અન્નના કણોને સૂકવવાની પ્રક્રિયા આદીકાળથી ચાલતી આવે છે. છતાં વાતાવરણ નો કચરો, અચાનક થતો વરસાદ, જીવાંત અને ઇયળ વગેરે બગાડ માટે જવાબદાર છે આવી બાબતોના કારણે ઘણી બધી સામગ્રીને એક સાથે સૂકવવી શક્ય નથી. આ સૌર ડ્રાયર એક જ સમયે સહજતાથી 10 થી 12 કિગ્રા શાકભાજી સૂકવી શકે છે.
43
0
અન્ય લેખો