ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સોયાબીન આપો યોગ્ય ખાતર
👉સોયાબીનએ તેલીબિયાં વર્ગનો પાક ગણાય છે. પાકમાં શરૂઆતથીજ જો યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો પાકનો શરુઆતનો વૃદ્ધિ વિકાસ સારો થાય તથા પોષકતત્વો ની ઉણપ દુર કરે છે. સૌ પ્રથમ સોયાબીનના પાકમાં ખાતર આપવા માટે ખેડૂતે પોતાના ખેતરની જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવીને ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવત છે.
👉ચોમાસું સોયાબીન માટે એકર દીઠ 4 થી 5 ટન છાણીયું ખાતર આપવું અથવા સંચાર ખાતર 10 કિલો આપવું તથા એકર દીઠ 53 કિલો ડીએપી + 58 કિલો એમોનિયમ સલ્ફેટ + 8 કિલો ભૂમિકા ખાતર આપવું. તથા સોયાબીન માં મૂળ માં રહેલ ગંડીકાઓ હવામાંના નાઈટ્રોજનનું સ્થિતિકરણ કરવામાં મદદરૂપ થાય છે જેથી સોયાબીન ના પાક ને પૂર્તિ ખાતર આપવાની જરૂર રહેતી નથી .
👉ક્ષારીય જમીનમાં સેલીનીટી /સોડીસીટીના પ્રશ્ન હોય ત્યારે જીપ્સમ અથવા સલ્ફર મેક્ષનો ઉપયોગ કરવો .
👉કેલ્સિયમની અછત વાળી જમીનમાં ફૂલ અવસ્થાએ કેલ્સિયમ નાઈટ્રેટ 10 કિલો + બોરોન 1કિલો જમીનમાં એકર દીઠ આપવું.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!