સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનની વાવણી પછી આવતી કેટલીક પાન ખાનાર ઇયળોનું નિયંત્રણ
🔹 પાન ખાનારી ઈયળ, લશ્કરી ઈયળ, ઘોડિયા ઇયળ અને કાતરાના ઇંડામાંથી નીકળતી નાની ઈયળો પાનની નીચેની સપાટીએ રહીને લીલો ભાગ કોતરી ખાય છે
🔹 પાન અર્ધપારદર્શક બની જાય છે.
🔹 મોટી ઈયળો પાન કાપી ખાઈ પાનમાં મોટા અનિયમિત આકારના કાણાં પાડે છે અને છોડ ઝાંખરા જેવો થઇ જાય છે.
🔹 ખેતરની ફરતે થોડા-થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી પાન ખાનાર ઇયળના ફૂદાં દિવેલાના પાન ઉપર ઈંડા મુકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડા સહિત પાનનો નાશ કરવો.
🔹 પાન ખાનાર ઇયળનું એનપીવી (ન્યુક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ) ૨૫૦ એલઈ ૫૦૦ લિટર પાણીમાં ભેળવીને એક હેક્ટરે સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તેમ છંટકાવ કરવો.
🔹 બાયોપેસ્ટીસાઇડ જેવી કે બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
🔹 લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમા ભેળવી છંટકાવ કરવો.
🔹 જાતે વિષ પ્રલોભિકા બનાવો. આ માટે ચોખા/ ઘઉંનું ભુસું ૧૨.૫ કિ.ગ્રા. + સાદો ગોળ ૫૦૦ ગ્રામ + ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૫૦૦ મિલિ જરુરીમા પાણી રેડી બનાવેલ મિશ્રણ સાંજના સમયે ખેતરમાં જમીન ઉપર આપો.
🔹 ભારે ઉપદ્રવના સમયે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫૦% ઝેડસી ૩ મિલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૭ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા ફ્લુબેન્ડામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રિન ૪.૯૦ સીએસ ૭ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
🔹 દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી.
👉 મગફળી પીળી થતી હોય તો જુઓ આ વિડીયો 👉 https://youtu.be/M47RjLVrOnc
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો