સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સલ્ફર ના ફાયદા જ ફાયદા !
• તેલીબીયા પાકમાં તેલની ટકાવારી વધારે
• જમીનની પીએચ બેલેન્સ કરવામાં પણ મદદ રૂપ છે.
• છોડ લઇ શકે તેવા સ્વરૂપમાં હોવાથી ખાતર આપ્યાના 24 કલાક માં છોડને મળી રહેશે.
• છોડને રોગ જીવાત સામે રક્ષણ આપે. (સલ્ફર 80%નો ઉપયોગ જંતુનાશક અને ફૂગનાશક તરીકે પણ થાય છે)
• દરેક પાકની ગુણવત્તા સુધારે તથા શાકભાજી પાકની સ્ટોરેજ લાઈફમાં વધારો કરે.
• જમીનમાં આપેલ નાઈટ્રોજન છોડ સહેલાઇથી લઇ શકે.
• કઠોળ પાકમાં મૂળ ગંડીકા વધારે જેથી વધારે નાઈટ્રોજન મળી શકે.
• ડુંગળી અને લસણ જેવા પાકમાં તીખાસ વધારે તેમજ ગાંઠિયાનું કદ મોટું કરશે.
• કેળ જેવા ફળ પાકમાં લૂમનું વજન વધારે તેમજ ગુણવત્તા વધારે.
• શેરડીના પાકમાં બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે તેમજ સુગર રીકવરી વધારે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ.
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.