એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સતત વરસાદને લીધે કપાસમાં દેખા દેતો 'પેરાવીલ્ટ' !
👉 સતત વરસાદ થવાથી અને ખેતરમાંથી ભરાયેલ પાણીનો નિકાલ થતો ન હોવાથી છોડ એકાએક ચીમળાઇ જતા જણાય છે અને છેવટે પાન-કળી-જીંડવા પણ ખરી પડતા હોય છે. છોડની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડવાથી બનતું હોય છે.
👉 ખેતર ઢાળવાળુ હોય તો ખેતરની એક બાજું પાણી ભરાઇ રહેવાથી ત્યાં સમશ્યા ઉભી થતી હોય છે. આ માટે પહેલા તો ભરાઇ રહેલ પાણીનો નિકાલ સત્વરે કરવો.
👉 કેટલાક ખેડૂતો પાણી નિતરી જાય પછી છોડની આજુબાજુ લોખંડના સળિયા વડે જમીનમાં કાણાં પાડી જમીનમાં હવાની અવરજવર વધારતા હોય છે.
👉 વધુમાં આવા સમયે યુરિયાનું 2 ટકા દ્રાવણ અને સાથે કાર્બેન્ડાઝિમ 50 ડબલ્યુપી પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે ઓગાળી છોડની આજુબાજુ જમીનમાં ડ્રેંચીંગ કરવું.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.