આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં સફેદમાખી નું નિયંત્રણ
શેરડીમાં દવા છાંટવાનું કાર્ય ઘણૂ અઘરુ છે. સફેદમાખીનો ઉપદ્રવ ઓછો રહે તે માટે જે ખેતરમાં પાણી ભરાઇ રહેતું હોય અને જમીન ક્ષારિય હોય તેવી જમીનમાં શેરડી કરવી હિતાવહ નથી. બડઘા (લામ) પાક લેવાથી આ જીવાતનો ઉપદ્રવ વધે છે. નાઈટ્રોજન અને ફોસ્ફરયુકત ખાતરોનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. સફેદમાખીના કોશેટાઓમાં ગોળ કાણાં જોવા મળે તો રાસાયણિક દવાનો છંટકાવ મુલત્વી રાખવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો